કર્ણાટકના હાવેરી નજીક સરકારી બસના ડ્રાઈવરે બસ વચ્ચે રોકી નમાજ પાડી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ NWKRTCએ તપાસના આદેશ આપ્યા છે. મુસાફરોને થયેલી અસુવિધા અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. વિગતવાર વાંચો…
હાવેરી (કર્ણાટક) | 1 મે 2025 – કર્ણાટકના હાવેરી જિલ્લાના જવેરી નજીક એક સરકારી બસના ડ્રાઈવરે ડ્યુટી દરમિયાન રસ્તામાં બસ અટકાવીને નમાજ પઢી હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ આ મામલો ગરમાયો છે. NWKRTC દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના 29 એપ્રિલના રોજ ઘટી હતી. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ હબ્બલ્લીથી હાવેરી જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવર એ. કે. મલ્લાએ બસ જવેરી નજીક રોકી અને નમાજ શરૂ કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ડ્રાઈવર બસની સીટ પર બેસી નમાજ અદા કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, ત્યારે અન્ય મુસાફરો તેને નિહાળી રહ્યા છે.
મુસાફરોને પડી મુશ્કેલી
બસના અંદર બેઠેલા કેટલાક મુસાફરોએ આ દ્રશ્યો મોબાઇલમાં રેકોર્ડ કર્યા અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા. મુસાફરોનું કહેવું છે કે રસ્તામાં બસ રોકવાથી તેમના મુસાફરીમાં વિલંબ થયો અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આથી કેટલાક મુસાફરો એ NWKRTCમાં જાણકારી આપી ફરિયાદ પણ નોંધાવી છે.
Mr.Ramalinga Reddy,Transport Minister of #Karnataka has ordered an inquiry into the Viral Video, where a driver of #NWKRTC bus is seen offering #Namaz inside the bus.Its alleged that driver stopped the #BUS and offered Namaz.The bus was enroute to #Haveri from #Hubbali..@RLR_BTM pic.twitter.com/asZ7ji8ocG
— Yasir Mushtaq (@path2shah) April 30, 2025
પરિવહન મંત્રીનું નિવેદન
કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ ઘટનાનો ગંભીર સંજ્ઞાન લઇ NWKRTCના મેનેજરને તપાસ માટે સુચના આપી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સર્વજનિક સેવામાં રહેલા કર્મચારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. દરેક વ્યક્તિને ધર્મના અનુસરણનો અધિકાર છે, પરંતુ ડ્યુટી દરમિયાન અને મુસાફરો વચ્ચે આવું કરવું યોગ્ય નથી.”
તપાસ શરૂ – NWKRTCની અસરકારક કાર્યવાહી
NWKRTCના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 58 વર્ષીય ડ્રાઈવર એ. કે. મલ્લા સામે હવે ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ મુજબ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે – જેમાં વીડિયોની સચ્ચાઈ અને મુસાફરોની ફરિયાદોનું મૂલ્યાંકન પણ સામેલ રહેશે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકો વિભાજિત મતો આપી રહ્યા છે – કેટલાક ડ્રાઈવરની હરકતને અંગત ધાર્મિક અધિકાર કહી રહ્યા છે, તો ઘણા લોકોએ કડક પગલાંની માંગ કરી છે.