દિલ્લીથી દુબઈ સુધી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે – શું ભારતના સખત વલણને કારણે પાકિસ્તાનને આ વખતે એશિયા કપ 2025માંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ માત્ર રમતો નથી, એ સૌમ્ય યુદ્ધ સમાન હોય છે. દુનિયા ભરના કરોડો દર્શકો બંને દેશો વચ્ચેના મુકાબલાને આતુરતાથી જુએ છે. પરંતુ 2025ના એશિયા કપને લઇને જે સંકેતો મળી રહ્યાં છે, તે ક્રિકેટ પ્રેમીઓ માટે ઝટકારૂપ સાબિત થઈ શકે છે. શક્યતા છે કે આ વખતે પાકિસ્તાન એશિયા કપ 2025 નો ભાગ બનશે કે નહીં તેના પર પણ સવાલ થય રહ્યા છે.
ભારતનું કડક વલણ – કેમ ભારત પાકિસ્તાન સામે રમવા તૈયાર નથી?
પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના અને તેની પાછળના સંદર્ભોમાં ભારત સરકારે પાકિસ્તાન સામેનો દૃઢ રુખ અપનાવ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં બને, ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના ખેલ, સંવાદ કે સંબંધ શક્ય નથી.
આ વાત માત્ર સેનાના મંચ સુધી સીમિત નથી રહી – ક્રિકેટમાં પણ તેનું સીધું પડઘાત પડતો જોવા મળી રહ્યો છે.
BCCIના નિર્ણયો પાછળ છુપાયેલું રાજકીય બળ
BCCI માત્ર રમતગમતનું સંચાલન કરતી સંસ્થા નથી – તે વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટી આર્થિક શક્તિ પણ છે. ભારતમાં રમાતા દરેક ટૂર્નામેન્ટમાંથી મળતી આવક, પ્રસારણ અધિકાર, સ્પોન્સરશીપ અને વ્યૂઅરશિપના આંકડા organizers માટે જીવનદાયી હોય છે. એટલે BCCIના નિર્ણયો આખા ટૂર્નામેન્ટના બંધારણને બદલી નાખવાની તાકાત ધરાવે છે.
એશિયા કપ 2025 – ભાગ લેનાર ટીમો અને હાલતનું મૂલ્યાંકન
હાલ સુધીની માહિતી પ્રમાણે, એશિયા કપ 2025માં 8 ટીમોને શામેલ કરવાની તૈયારી છે:
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, હૉંગકૉંગ અને યુએઈ.
પરંતુ જો ભારત પાકિસ્તાન સામે રમવા ઇન્કાર કરે છે, તો BCCI તરફથી alternate plan રજૂ થઇ શકે છે. પાકિસ્તાનને બદલે ઓમાન, સિંગાપુર કે અન્ય associate nationને મોકો આપવામાં આવી શકે છે.
ભારતનો નિર્ણય અંતિમ કેમ બની શકે?
ભારતનું વલણ દેશના માનસન્માન સાથે જોડાયેલ છે. જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાનના જોડાણ સાથે જોવામાં આવે છે, ત્યારે દેશની જનતા અને સરકારે પાકિસ્તાન સાથે રમવા માટે વિરોધ દર્શાવ્યો છે.
શું આ નિર્ણય વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સ પર પણ અસર કરશે?
જ્યાં સુધી ભારતનું વલણ બદલાતું નથી, ત્યાં સુધી માત્ર એશિયા કપ નહીં, પણ T20 વર્લ્ડ કપ કે ODI વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ્સમાં પણ ભારત પાકિસ્તાન સામે રમવા ઇન્કાર કરી શકે છે. આવું થઈ શકે છે કે ટૂર્નામેન્ટના organizersને ભારત માટે જુદી વ્યવસ્થા કરવાની ફરજ પડે અથવા પાકિસ્તાનની ભાગીદારી પર પુનર્વિચાર કરવાનો દબાવ પણ આવી શકે છે.
આર્થિક દ્રષ્ટિએ ભારતના વગર ટૂર્નામેન્ટ શું ખાલી પડી જશે?
ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ આવક ભારત તરફથી થાય છે – ટિકિટ વેચાણથી લઈને પ્રસારણ હક્કો સુધી, Sponsorship deal સુધી બધું ભારતના દરશકો પર આધારિત છે. organizers માટે ભારતને ગુમાવવો અર્થતંત્રની દૃષ્ટિએ મોટી નુકશાની છે. એશિયા કપ 2025ના આયોજનકર્તાઓ પણ ભારતના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
શું થશે હવે?
જો ભારત પાકિસ્તાન સામે રમવા સ્પષ્ટ ઇન્કાર કરે છે, તો શક્ય છે કે પાકિસ્તાનને બહારનો રસ્તો બતાવવામાં આવે અને કોઇ નવી ટીમને આમંત્રણ આપવામાં આવે. આવી સ્થિતિમાં એશિયા કપ 2025નું બંધારણ અને ભાવનાત્મક મોજૂદગી બંને બદલાઈ શકે છે.